મહિલા સ્વાવલંબન યોજના

ચાલો જાણીએ વધુ માહિતી

મહિલાઓને નવો-વ્યવસાય-ધંધા માટે આપવામાં આવતી લોન 

મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ

મહિલાઓનો સામાજિક અને આર્થિક ઉત્થાન થાય અને ધંધા-રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજનાની પાત્રતા

· લાભાર્થી મહિલાની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.

· મહિલા લાભાર્થીની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000  અને શહેરી વિસ્તારમાં 1,50,000/- સુધી હોવી જોઈએ.

મહિલાઓને નવો વ્યવસાય માટે કેટલી લોન મળવાપાત્ર છે?

મહિલાઓને વિવિધ બેંક દ્વારા રૂપિયા 2,00,000/-  (બે લાખ) સુધી લોન મળવાપાત્ર થાય છે.

મહિલાઓને કેટલા ધંધા-વ્યવસાય ચાલુ કરવા લોન આપવામાં આવે છે?

મહિલાઓને કુલ-307 ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે  લોન આપવામાં આવે છે.

કેટલી સબસીડી મળવાપાત્ર થાય છે?

મહિલાઓને લીધેલ લોન પર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.

લોન વિશે નિયમિત માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.