Pmkisan Yojana New Update 2023 | કિસાનોને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ

Pmkisan Yojana New Update 2023 | PM Kisan Yojana List | PmKisan | Pm Kisan Yojana Installment | PmKisan KYC | Sarkari Yojana 2023 | પીએમ કિસાન યોજના

Pmkisan Yojana New Update 2023 : ભારતમાં 50 ટકા રોજગાર ખેતીક્ષેત્ર સાથે જોડાયેલ છે. પીએમ કિસાન ભારત સરકારની સૌથી લોકપ્રિય ખેડૂત કલ્યાણ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 13 હપ્તા જમા કરવામાં આવ્યા છે.

જેમાં કેટલાક કારણોસર ખેડૂતોના બેંકના ખાતામાં આ રકમ જમા થઈ નથી. કેટલાક પ્રશ્નોનુ નિરાકરણ આ Pmkisan Yojana New Update 2023 આર્ટીકલમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Pmkisan Yojana New Update 2023

Table of Contents

પીએમ કિસાન યોજના 2018 માં શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને નાણાંકીય સહાય આપવામાં આવે છે. સહાયપાત્ર ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. છે. આ યોજનામાં અત્યાર સુધી 13 હપ્તા જમા કરવામાં આવ્યા છે.

Short Details of Pmkisan Yojana New Update 2023

આર્ટીકલનું નામPmkisan Yojana New Update 2023
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
યોજનાનું નામPMKISAN યોજના
વિભાગકૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ
લાભાર્થીદેશના ખેડૂત નાગરિક
અરજી પ્રક્રિયાઓનલાઈન
યોજનાનો હેતુદેશના ખેડૂતોનું જીવન સારૂ અને ખેતીકાર્યમાં મદદ કરવાનો
સત્તાવાર વેબસાઈટwww.pmkisan.gov.in
E-kyc લિંકhttps://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx
Home PageMore Details….
Short Details of Pmkisan Yojana New Update 2023
WhatsApp Group જોડાઓ. Join Now

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Also Read More:- રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે

Also Read More:- PMKisan eKYC Update 2023 | Know Last Date

કિસાનોને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ

કેટલાક કારણોસર કિસાનોના બેંકના ખાતામાં પૈસા જમા થયેલા નથી. આ પ્રશ્નોના નિરાકરણ માટે લેવાના પગલાં નીચે મુજબ છે:

(1) પીએમ કિસાન લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in સર્ચ કરી, પીએમ કિસાન પોર્ટલ ખોલવું.
  • હોમ પેજ પર Beneficiary List વિકલ્પ પર ક્લીક કરો. કરો. ત્યારપછી અન્ય વિન્ડો ખૂલશે.
  • ડ્રોપડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • ત્યારબાદ ‘Get Report’ બટન પર ક્લીક કરો. આ પછી તમને લાભાર્થી યાદી તમારી સ્ક્રીન પર જોવા મળશે.

(2) પીએમ કિસાન લાભાર્થી સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે તપાસવું ?

  • પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in સર્ચ કરી, પીએમ કિસાન પોર્ટલ ખોલવું.
  • હોમ પેજ પર Beneficiary Status વિકલ્પ પર ક્લીક કરો. કરો. ત્યારપછી અન્ય વિન્ડો ખૂલશે. એમાં બે વિકલ્પ આપવામાં આવશે. આવશે. જેવા કે મોબાઈલ નંબર દ્વારા અને નોંધણી નંબર દ્વારા.
  • કોઈપણ એક વિકલ્પ પસંદ કરો. અને માહિતી દાખલ કરો. કરો. પછી કેપ્ચા કોડ નાંખો.
  • ત્યારબાદ ‘Get Details’ બટન પર ક્લીક કરો. આ પછી તમને લાભાર્થી સ્ટેટસ તમારી સ્ક્રીન પર જોવા મળશે.

(3) પીએમ કિસાન યોજના માટે પાત્ર છો કે નહિ ?

  • લાભાર્થી સ્ટેટસમાં Eligibility:Yes પ્રદર્શિત થાય જેનો અર્થ થાય છે કે તમે પાત્રતા ધરાવો છો. છો. પરંતુ Eligibility:No દર્શાવે છે તો તમે પાત્રતા ધરાવતા નથી, એવું દર્શાવે છે. જેનું કારણ પણ સામે દર્શાવેલું હોય છે.

(4) પીએમ કિસાન પોર્ટલ પર આધાર નંબર અને અન્ય વિગતો કેવી રીતે સુધારવી?

  • ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ અગાઉ દાખલ કરેલી વિગતોમાં ફેરફાર કરી શકે છે.
  • જેના કારણે લાભાર્થી સ્ટેટસમાં ‘Aadhaar Demo Authentication Status : Pending’ પ્રદર્શિત થાય તો વિગતો સુધારવી જરૂરી બને છે.
  • પીએમ કિસાન પોર્ટલ પર જાઓ. (Edit Aadhaar Failure Records) પર ક્લીક કરો. એક નવી વિન્ડો ખુલશે.
  • અહીં તમે આધાર નંબર, નોંધણી નંબર અને મોબાઈલ નંબર નંબર દ્વારા રેકોર્ડ્સ શોધી શકો છો. વિગત અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • હવે Search બટન પર ક્લીક કરો. તમારા નિષ્ફળ અથવા ખોટા રેકોર્ડની વિગતો સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • પછી તમે રેકોર્ડમાં ફેરફાર કરવા માટે આગળ વધી શકો છો.

(5) પીએમ કિસાન કેવાયસી કઈ રીતે કરવું ?

  • કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, પાત્ર ખડૂતો જેવા કે નાના અને સિમાંત ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે. મળે.આ હેતુ માટે પીએમ કિસાન કેવાયસી કરવાનું ફરજિયાત કર્યુ છે.
  • પીએમ કિસાન કેવાયસીથી ખેડૂતોના આધાર નંબરનો ઉપયોગ કરીને તેમની પાત્રતા અને પ્રમાણિકતા ચકાસી શકાય છે.
  • લાભાર્થી સ્ટેટસમાં ‘eKYCDone : No’ પ્રદર્શિત થાય તો eKYC કરાવવું જરૂરી બને છે.
  • ખેડૂત ગ્રામ પંચાયત, CSC કેંદ્ર પર જઈને ઈ-કેવાયસી કરાવી શકે છે, તેમજ સ્માર્ટફોન વડે જાતે પણ eKYC કરી શકે છે.
  • પીએમ કિસાન પોર્ટલ પર જાઓ. હવે આ વેબસાઈટમાં Farmers Menu માં e-KYC મેનુ પર ક્લીક કરવાનું રહેશે.
  • હવે જે વિન્ડો ખૂલે તેમાં લાભાર્થીનો આધાર કાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લીક કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાંખવાનો રહેશે.
  • જેમાં Aadhaar Registered Mobile Number નાંખ્યા બાદ ‘Get Mobile OTP’ પર ક્લીક કરવાનું રહેશે.રહેશે. રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે, તે દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે, તેના પર OTP આવશેઆવશે, જે એન્ટર કરીને Submit બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • છેલ્લે, ‘EKYC is Successfully Submitted’ એવો મેસેજ આવશે. જે સફળતાપૂર્વક e-KYC થઈ ગયું છે, તે જણાવશે.

(6) આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે :

  • લાભાર્થી સ્ટેટસમાં ‘Payment Mode : ACCOUNT’ પ્રદર્શિત થાય તો લાભાર્થીએ પોતાનું આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક કરાવવું જરૂરી બને છે.
  • જેથી DBT (Direct Bank Transfer) દ્વારા સહાયના હપ્તા લાભાર્થીના બેંક ખાતામાં જમા થઈ શકે.
  • બેંક ખાતુ આધાર કાર્ડ સાથે લિંક થયા પછી ‘Payment Mode : AADHAR’ પ્રદર્શિત થશે. જો આ પ્રકારનો પ્રશ્ન હશે, તો આ રીતે નિરાકરણ લાવી શકાય.

(7) જમીનની ભૌતિક ચકાસણી કરાવવી જરૂરી છે :

  • લાભાર્થી સ્ટેટસમાં ‘Land Seeding : NO’ પ્રદર્શિત થાય તો લેન્ડ સીડીંગ કરાવવું જરૂરી છે.
  • લેન્ડ સીડીંગ એટલે કે, તમારી ભૌતિક જમીનની ચકાસણી. તેના માટે તમારા બ્લોકના કૃષિકાર્યથી સંલગ્ન કર્મચારીઓ કે ગ્રામસેવકને મળો અને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરો.
  • તેના પછી ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) જમીનનું ફિજિકલ વેરીફિકેશન કરશે.
Pmkisan Yojana New Update 2023 | કિસાનોને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ
Pmkisan Yojana New Update 2023 | કિસાનોને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ

બીજી કેટલીક સુચનાઓ પ્રદર્શિત થતી હોય છે

આ સિવાય બીજી કેટલીક અન્ય સુચનાઓ પ્રદર્શિત થતી હોય છે, જે નીચે મુજબ છે:

(1) RFT Signed By State

આનો અર્થ એ થાય છે કે “લાભાર્થીઓના ડેટાની રાજ્ય સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવી છે, જે સચોટ હોવાનું જાણવા મળ્યું છે.

(2) FTO is Generated

લાભાર્થીના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા માટેનો ઓર્ડર થઈ ગયેલ છે. એવું આ સુચના કહેવા માગે છે.

(3) Farmer Record has been rejected by pfms/bank

બેંક ખાતાની વિગતોમાં ભૂલ હોઈ શકે અથવા ખાતુ બંધ હોય. આ માટે બેંકનો સંપર્ક સાધવો.

Contact DetailsPmkisan Yojana New Update 2023

Scheme RelatedShri Sanjay Agarwal, Secretary, Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan, New Delhi-110001.
Fund Transfer RelatedShri G. Srinivas, Additional Secretary & Financial Advisor, Krishi Bhawan, New Delhi-110001. Email: asfa-agri@nic.in
ICT RelatedDr. Ranjna Nagpal, Deputy Director General, National Informatics Centre.
Contact Details of State Nodal OfficersList of State Nodal Officer
PM-KISAN Help DeskPM-Kisan Helpline No: 011-24300606,155261
Help-DeskAadhaar OTP related issue – aead@nic.in
માર્ગદર્શક સુચનાઓClick Here
Contact DetailsPmkisan Yojana New Update 2023

નિષ્કર્ષ

આ ઉપરાંત પણ હપ્તા બેંક ખાતામાં જમા થવામાં કોઈ સમસ્યા હોય તો ગામના ગ્રામસેવક અથવા બ્લોકના કૃષિ કાર્યથી સંલગ્ન કર્મચારીઓનો સંપર્ક કરવો.

FAQ of Pmkisan Yojana New Update 2023

PM Kisan Sanman Nidhi યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?

આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PMKisan eKYC Update 2023અપડેટની છેલ્લી તારીખ કઈ છે?

pmkisan.gov.in પર e-KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ  31 મી જુલાઈ, 2023 છે.

પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.

શું PM Kisan E-kyc ઓફલાઈન કરી શકાય ?

હા, હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.

શું બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું પડશે ?

હા, બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું ફરજિયાત છે.

FTO is Generated સુચના શું દર્શાવે છે ?

લાભાર્થીના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા માટેનો ઓર્ડર થઈ ગયેલ છે. એવું આ સુચના કહેવા માગે છે.

Last WordPmkisan Yojana New Update 2023

આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક Pmkisan Yojana New Update 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Pmkisan Yojana New Update 2023 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

6 thoughts on “Pmkisan Yojana New Update 2023 | કિસાનોને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ”

  1. ૧૩મો હપ્તો પી એમ કિસાન યોજનાનો ખાતામાં હજુ સુધી જમા થયો નથી.

    Reply
  2. અત્યાર સુધીમાં જે જે હપ્તા અને ૧૩મો હપ્તો પી એમ કિસાન યોજનાનો ખાતામાં હજુ સુધી જમા થયો નથી.

    Reply
  3. અત્યાર સુધીના જે જે હપ્તા અને ૧૩મો હપ્તો પી એમ કિસાન યોજનાનો ખાતામાં હજુ સુધી જમા થયો નથી.

    Reply

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button