Mukhyamantri Mahila Utkarsh Yojana | મહિલાઓ માટે વગર વ્યાજની લોન

Mukhyamantri Mahila Utkarsh Yojana | સખી મંડળ યોજના | मुख्यमंत्री महिला उत्कर्ष योजना गुजरात | મહિલા લોન યોજના | મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમકે, ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરે છે. જેમાં મહિલાલક્ષી યોજનાઓ, મહિલા સશકિતકરણ કાર્યક્રમો તથા મહિલાઓ આત્મનિર્ભર બનીને સ્વરોજગારી મેળવે તે માટે લોન યોજના બહાર પાડેલી છે.

જો તમે એક મહિલા છો ? અને ગુજરાતમાં રહો છો ? તેમજ તમે પોતાનો રોજગાર શરૂ કરવાની તક શોધી રહ્યા છો? જો હા, તો Mukhyamantri Mahila Utkarsh Yojana તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે તેમ છે. આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા માટે રૂ. 1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપીને સશક્તિકરણ કરવાનો છે.

Mukhyamantri Mahila Utkarsh Yojana

Mukhyamantri Mahila Utkarsh Yojanaનો અમલ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ૧ લાખ જોઈન્ટ લાયેબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી તેમજ રોજગારી આપીને આત્મનિર્ભર બનાવવાનો છે.

Highlights of Mukhyamantri Mahila Utkarsh Yojana

યોજનાનું નામMukhyamantri Mahila Utkarsh Yojana
કોના દ્વારા અમલ કરેલ છે ?ગુજરાત સરકાર
લાભાર્થીઓગુજરાતની મહિલા નાગરિકો
યોજનાનો હેતુગુજરાતની મહિલા નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનો
સત્તાવાર વેબસાઈટhttps://mmuy.gujarat.gov.in/
Home PageMore Details ….
Highlights of Mukhyamantri Mahila Utkarsh Yojana
WhatsApp Group જોડાઓ. Join Now

Mukhyamantri Mahila Utkarsh Yojana ના ઉદ્દેશ્યો

  • મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી.
  • મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને તેમના કામ પ્રત્યે આત્મનિર્ભર બનાવવા.
  • મહિલાઓમાં વ્યવસાય કરવા અંગે જાગૃતિ કેળવવી. જેથી તેઓ ભવિષ્યમાં અન્ય કોઈ પર નિર્ભર ન રહી શકે.
  • મહિલા સાહસિકોની આવક વધારવા અને તેમને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરવી.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વિશેષતાઓ

  • ગુજરાત સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય સ્વ-સહાય જૂથોની મહિલાઓને વ્યાજમુક્ત લોન આપવાનો છે.
  • મહિલા સ્વ-સહાય જૂથને પ્રોગ્રામ હેઠળ 100000 રૂપિયાની લોન આપવામાં આવશે.
  • સ્વ-સહાય જૂથ બનાવવા માટે ઓછામાં ઓછા દસ સભ્ય મહિલાઓની આવશ્યકતા છે.
  • આ યોજનાને અમલમાં મૂકવાથી, પ્રદેશની સ્ત્રીઓ સ્વતંત્રતા પ્રાપ્ત કરશે.
  • સખી મંડળની મહિલાઓ પણ આ કાર્યક્રમનો લાભ મેળવીને આત્મનિર્ભર બને શકે છે.
  • સરકાર તરફથી બેંકને વ્યાજની ચૂકવણી કરવામાં આવશે.

લોન લેવા માટે અરજી કરવા માટેના દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • મતદાર આઈડી
  • રેશન કાર્ડ
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 | મહિલાઓ માટે વગર વ્યાજની લોન
Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 | મહિલાઓ માટે વગર વ્યાજની લોન

Mukhyamantri Mahila Utkarsh Yojana Final Tharav PDF

Mukhyamantri Mahila Utkarsh Yojana અંગેનો ગુજરાત સરકારનો ફાઈનલી ઠરાવ અહીંથી ડાઉન લોડ કરી શકો છો. જેનાથી વધુ વિગતોની માહિતી મળી શકે તેમ છે.

Mukhyamantri Mahila Utkarsh Yojana Helpline

Mukhyamantri Mahila Utkarsh YojanaClick Here
ઠરાવની કોપીClick Here
Join Our Telegram
Channel
Join Now
Home PageClick Here
Mukhyamantri Mahila Utkarsh Yojana Helpline
FAQ of Mukhyamantri Mahila Utkarsh Yojana Helpline

Mukhyamantri Mahila Utkarsh Yojanaની અરજી કેવી રીતે કરી શકાય?

Mukhyamantri Mahila Utkarsh Yojanaનો અમલ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે.

Mukhyamantri Mahila Utkarsh Yojana હેઠળ કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે?

Mukhyamantri Mahila Utkarsh Yojana હેઠળ 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

Mukhyamantri Mahila Utkarsh Yojana દ્વારા મહિલાઓને લોન પર કેટલી સબસીડી આપવામાં આવે છે?

Mukhyamantri Mahila Utkarsh Yojana દ્વારા મહિલાઓને લોન પર સબસીડી આપવામાં આવતી નથી. પણ વ્યાજ ભરવાનું હોતુ નથી.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ આપવામાં આવતી લોન પર વ્યાજ દર શું છે?

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ આપવામાં આવતી લોન વ્યાજમુક્ત છે, જેનો અર્થ છે કે આ લોન લેનાર મહિલાને કોઈ વ્યાજ આપવાનું હોતું નથી.

Last Word

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Mukhyamantri Mahila Utkarsh Yojana ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે, આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Mukhyamantri Mahila Utkarsh Yojana ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button