Apply for Tractor Loan Online 2022| ટ્રેકટર લોન યોજના
Tractor Loan Yojana in Gujarat | Tractor Loan Yojana for ST Cast | ટ્રેકટર લોન યોજના | લોન વિશેની માહિતી | Tribal Yojana in Gujarat
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ નિગમની સ્થાપના વનબંધુઓના કલ્યાણ માટે કરવામાં આવેલ હતી. જે ગુજરાતના જંગલ વિસ્તારમાં કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ વસતા આદિજાતિના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે લોન યોજનાઓ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા અનુસૂચિત જન જાતિના નાગરિકો NSTFDC દ્વારા આપવામાં ટ્રેકટર પર લોન વિશે વિગતવાર માહિતી મેળવીશું. ટ્રેકટર લોન માટે કેવી રીતે એપ્લિકેશન કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.
Tractor Loan Yojana 2022
National Scheduled Castes Finance and Development Corporate દ્વારા ટ્રેકટર લોન આપવામાં આવશે છે. આ લોન યોજના આદિજાતિના નાગરિકોને આપવામાં આવે છે. ST જ્ઞાતિના નાગરિકોને ખેતી કરવા માટે જરૂરી ટ્રેકટર લેવા માટે Adijati Nigam Gujarat દ્વારા આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ, કેટલા રૂપિયાની લોન મળે, વ્યાજદર કેટલું ચૂકવવાનું રહેશે વગેરે આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.
ટ્રેકટર લોન યોજનાનો ઉદ્દેશ
ગુજરાત આદિજાતિ નિગમ આદિજાતીના નાગરિકો માટે વિવિધ લોન યોજનાઓ અને અન્ય યોજનાઓ ચલાવવામાં આવે છે. અનુસૂચિત જન જાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. જેથી તેમને બેંકો કે અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજદરે લોન ન લેવી પડે તે માટે નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. આ ટ્રેકટર લોન NSTFDC હેઠળ લોન આપીને જીવન ધોરણ ઊંચું લાવવા માટે આપવામાં આવે છે. જેથી આત્મનિર્ભર બની શકે છે.
Highlights Point of Tractor Loan Scheme
યોજનાનું નામ | Tractor Loan Scheme for S.T |
આર્ટિકલની ભાષા | English અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિના ખેડૂતોને સાધનની એટલે ટ્રેક્ટરની ખરીદી આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકો |
લોનની રકમ | આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે રૂપિયા 6.00 લાખ લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર | માત્ર 6% વ્યાજદર લોન પર આપવામાં આવશે. |
Official Website | Click Here |
Online Apply | Apply Now |
Tractor Loan ની લાયકાત અને પાત્રતા
Adijati Vikas Vibhag Gujarat દ્વારા ટ્રેકટર યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ લોન આપવા માટે અગાઉથી લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.
● અરજદાર મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
● અરજદાર આદિજાતિનો હોવો જોઈએ
● અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ.
● લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
● આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
10 લાખ સુધી લોન મેળવો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
ટ્રેકટર લોન યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ
Tribal Development Department Gujarat દ્વારા Schedule Tribal ના લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ રૂપિયા 6,00,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 5% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.
ટ્રેકટર લોન પરનો વ્યાજદર
આદિજાતિ નિગમ દ્વારા અનુસૂચિત જન જાતિઓને લોન આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 6 % ના વ્યાજદર સાથે લોન મળશે.
● લાભાર્થી દ્વારા લીધેલી લોન 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાની રહેશે.
● લાભાર્થી દ્વારા મેળવેલ લોન પરત ભરવામાં વિલંબિત થશે તો વધારાના 2.50 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
Document Required for Tractor Loan Scheme
Adijati Nigam દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. આ લોન યોજનાનો લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે.
- ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
- રેશન કાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- ઓનલાઈન એપ્લીકેશન અરજી
- આધાર કાર્ડની નકલ
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
- જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારોએ રૂ. 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
- નિયત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ
- રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
Apply for Tractor Loan Scheme Online
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિના લોકોના વિકાસ માટે ઘણી બધી લોન યોજનાઓ તથા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. અનુસુચિત જન જાતિના ખેડુતો, વિદ્યાર્થીઓ, ધંધા-વ્યવસાયકારીઓ માટે વિવિધ યોજનાના ઓનલાઈન ફોર્મ સ્વીકરવાના ચાલુ થયેલ છે. જેમાં આ આર્ટિકલ દ્વારા ખેડૂતોને આપવામાં આવતી ટ્રેકટર લોન યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search જઈને “Adijati Vikas Nigam” ટાઈપ કરો.
- જેમાં Gujarat Tribal Development Corporation ની Official Website ખુલશે.
- જ્યાં Home Page પર ઉપર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
- તે બટન પર ક્લિક કરવાથી “Gujarat Tribal Development Corporation” નામનું નવું પેજ ખૂલશે.
- જો આપ દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત I.D બનાવવાનું રહેશે.
- તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાનું વ્યક્તિગત પેજ Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કરવાથી જુદી-જુદી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- “સેલ્ફ એમ્પોલયમેન્ટ” પર ક્લિક કર્યા બાદ શરતો આપેલી હશે જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- હવે લાભાર્થીએ પોતાની Application Information જેવી કે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે ભરવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “ટ્રેક્ટર લોન યોજના” પસંદ કરીને લોનની રકમ નાખવાની રહેશે.
- જામીનદારની મિલકતની વિગત, બેંકની વિગત, ડોક્યુમેંટ અપલોડ વગેરે કરવાના રહેશે.
- તમામ વિગતો ભર્યા બાદ ભરેલી માહિતીને ચકાસણી કર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- તમારી એપ્લિકેશન Save થશે જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
FAQ of Tractor Loan Yojana
ટ્રેક્ટર લોન યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવે છે?
આદિજાતિ નિગમ દ્વારા ટ્રેક્ટર લોન યોજના હેઠળ રૂપિયા 6.00 લાખ લોન આપવામાં આવે છે.
આદિજાતિ વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા ટ્રેકટર લોન યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?
ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિના નાગરિકોને આપવામાં આવે છે.
Tractor Loan Yojana નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?
અનુસુચિત જન જાતિના નાગરિકોના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક જોઈએ.
Adijati Nigam દ્વારા એસ.ટી જ્ઞાતિઓને ટ્રેક્ટર માટે લોન પર કેટલો વ્યાજદર લેવામાં આવે છે?
ST જ્ઞાતિઓને ટ્રેક્ટર માટે રૂપિયા 6.00 લાખ સુધી લોન માટે માત્ર 6 % વ્યાજદર લેવામાં આવે છે.
Important links of Tractor Loan Yojana for ST
Adijati Nigam Official Website | Click Here |
Direcr Apply for Loan | Click Here |
Login here | Click Here |
Register Here | Click Here |
Forgotten Password? Click Here | Click Here |
Home Page | Click Here |
4 thoughts on “Apply for Tractor Loan Online 2022| ટ્રેકટર લોન યોજના”